Latest News

પ્રાકૃતિક ખેતી: આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ ખેડૂતો માટે વરદાનરૂપ

Proud Tapi 21 May, 2025 10:25 AM ગુજરાત

પ્રાઉડ તાપી - આહવા: ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં, પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા, પર્યાવરણીય સંતુલન અને માનવ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે. પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો પૈકી, આચ્છાદન (મલ્ચિંગ) અને મિશ્ર પાક પદ્ધતિ ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

આચ્છાદન (મલ્ચિંગ):
આચ્છાદન એટલે પાકની હાર વચ્ચેની ખુલ્લી જમીનને વનસ્પતિ અવશેષો (કાષ્ટ આચ્છાદન), માટી (મૃદાચ્છાદન) કે આંતરપાક (સજીવ આચ્છાદન) દ્વારા ઢાંકવી. આનાથી બીજનું રક્ષણ થાય છે, સૂક્ષ્મજીવો સક્રિય રહે છે, જમીનમાં હ્યુમસ વધે છે, પાણીનો વ્યય અટકે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, નીંદણ નિયંત્રણ થાય છે, તાપમાન નિયંત્રિત રહે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે.

મિશ્ર પાક પદ્ધતિ:
મિશ્ર પાક પદ્ધતિમાં એક જ ખેતરમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરવામાં આવે છે, જેના કેટલાક મુખ્ય સિદ્ધાંતો છે:

મુખ્ય પાક એકદળી હોય તો સહયોગી પાક દ્વિદળી હોવો જોઈએ.
મૂળની ઊંડાઈ અને જીવનકાળમાં તફાવત હોવો જોઈએ.
સહયોગી પાકનો છાયો મુખ્ય પાક પર ન પડવો જોઈએ.
કઠોળ પાકોનો સમાવેશ આવશ્યક છે.
મૂળજન્ય રોગોના નિયંત્રણ માટે તીખી, કડવી કે ઔષધીય વનસ્પતિઓનો મિશ્ર પાક તરીકે ઉપયોગ કરવો.
એક જ વર્ગના અને સમાન કદના બે પાકનું સાથે વાવેતર ટાળવું.
પાકવાનો સમય, કદ અને વર્ગથી એકબીજાના પૂરક હોય તેવા 2-3 પાકોનું મિશ્રણ કરવું.
આ બંને પદ્ધતિઓ અપનાવીને ખેડૂતો જમીનની ગુણવત્તા સુધારી શકે છે, પાણીનો બચાવ કરી શકે છે, રોગો અને નીંદણનું કુદરતી રીતે નિયંત્રણ કરી શકે છે, અને અંતે તેમની આવકમાં પણ વધારો કરી શકે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post